
આરોપી સ્થિર મગજનો હોવાનું જણાય ત્યારે કાયૅરીતિ
તપાસ કે ઇન્સાફી કાયૅવાહી વખતે આરોપી સ્થિર મગજનો હોવાનું જણાય અને પોતાની સમક્ષ રજૂ થયેલા પુરાવા ઉપરથી મેજિસ્ટ્રેટને ખાતરી થાય કે આરોપીએ એવુ કૃત્ય કર્યું હોવાનું માનવાને કારણ છે કે જે કૃત્ય જો સ્થિર મગજનો હોત અને તેણે કર્યુ હોત તો ગુનો બનત અને એ કૃત્ય કરતી વખતે પોતાના મગજની અસ્થિરતાને કારણે તેનો પ્રકાર જાણવા અથવા તે ગેરકાયદેસર કે કાયદા વિરૂધ્ધ હોવાનું જાણવા તે અસમથૅ હતો ત્યારે મેજિસ્ટ્રેટે કેસ આગળ ચલાવવો જોઇશે અને આરોપીની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ ન્યાયાલયે કરવાની હોય તો સેશન્સ ન્યાયાલય સમક્ષ ઇન્સાફી કાયૅવાહી માટે તેને કમિકટ કરવો જોઇશે.
Copyright©2023 - HelpLaw